J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલ

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.

J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલ

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો. મળતી માહિતી મુજબ આતંકવાદીઓ વાહનો પર ગોળીઓનો વરસાદ કરી દીધો. ત્યારબાદ વાયુસેનાના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. આ ઘટનામાં 5 જેટલા સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ  ખસેડાયા છે. 

ઘટના બાદ તરત જ સ્થાનિક રાષ્ટ્રીય રાયફલ્સના યુનિટે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે. આતંકીઓની શોધખોળ ચાલુ છે. હજુ સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. 

An Indian Air Force vehicle convoy was attacked by terrorists in the Poonch district. The injured troops have been airlifted to Command… pic.twitter.com/I747iXbndd

— ANI (@ANI) May 4, 2024

આ ઘટના જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર આતંકીઓ દ્વારા કરાયેલા હુમલાઓની એક શ્રૃંખલામાં નવી છે. ગત મહિને પૂંછ જિલ્લામાં જ એક સેનાના વાહન પર આતંકીઓએ ગ્રેનેડ  હુમલો કર્યો હતો. જેમાં કેટલાક જવાનો ઘાયલ થયા હતા. 

— ANI (@ANI) May 4, 2024

બીજી બાજુ સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં નાકાબંધી કરી લીધી છે અને લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિ વિશે તરત જ પોલીસને જાણ કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news