Taarak Mehta Ka Ooltah Chashmah: ખોટી નીકળી બબીતાજી અને ટપ્પુની સગાઈની ખબરો, જાણો વિગતો

તમામ ખબરો પર હવે મુનમુન દત્તાની ટીમે રિએક્ટ કર્યું છે. આ સાથે જ આ ખબરો  પાછળનું સત્ય પણ જણાવ્યું છે. મુનમુન દત્તા અને જેઠાલાલના પુત્ર ટપ્પુની સગાઈના સમાચાર આવતા જ ફેન્સ આજે ચોંકી ગયા હતા.

Taarak Mehta Ka Ooltah Chashmah: ખોટી નીકળી બબીતાજી અને ટપ્પુની સગાઈની ખબરો, જાણો વિગતો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી અને ટપ્પુની સગાઈની ખબરોથી સોશિયલ મીડિયા આજે છલકાઈ ગયું છે. આ ખબરો આવતા જ દરેક તેમને શુભેચ્છા પાઠવવા લાગ્યા પણ સાથે સાથે એ વાત પર વિશ્વાસ કરવો પણ અઘરો થઈ રહ્યો હતો. આ તમામ ખબરો પર હવે મુનમુન દત્તાની ટીમે રિએક્ટ કર્યું છે. આ સાથે જ આ ખબરો  પાછળનું સત્ય પણ જણાવ્યું છે. 

ખોટી છે ખબર
મુનમુન દત્તા અને જેઠાલાલના પુત્ર ટપ્પુની સગાઈના સમાચાર આવતા જ ફેન્સ આજે ચોંકી ગયા હતા. આ ખબરો બાદ દરેક જણ આ બંને સેલેબ્સના રિએક્શનની રાહ જોઈ રહ્યા હતા. આ ખળભળાટ મચાવનારી ખબર પર હવે મુનમુન દત્તાની ટીમે રિએક્ટ કર્યું છે. તેમણે આ ખબરને ખોટી ગણાવી છે. 

9 વર્ષની ઉંમરનું અંતર
આ ખબર એટલા માટે પણ ચોંકાવનારી છે કારણ કે બબીતાજી અને ટપ્પુ વચ્ચે 9 વર્ષનું અંતર છે. બબીતાજી 36 વર્ષની તો ટપ્પુનું પાત્ર ભજવી ચૂકેલો રાજ અનડકટ માત્ર 27 વર્ષનો છે. એટલે કે ઉંમરમાં 9 વર્ષનું અંતર છે. 

બંને હાલ શોનો ભાગ નથી
ખાસ વાત એ છે કે મુનમુન અને રાજ હવે શોનો હિસ્સો નથી. બંનેએ ઘણા સમય પહેલા જ શો છોડી દીધો હતો. જ્યારથી આ બંનેએ શો છોડ્યો છે ત્યારથી આ બંનેના અફેરની ખબરોને બળ મળ્યું હતું. એટલે સુધી કે થોડા સમય પહેલા બંને સાથે વિદેશ ફરવા પણ ગયા હતા. તે સમયે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. ત્યારથી લોકો બંને વચ્ચે અફેરની અટકળો કરી રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news