હિન્દુ ધર્મમાં શનિદેવને કર્મફળદાતા કહેવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મોનું ફળ આપે છે.
શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. જ્યોતિષ ગણના અનુસાર 30 જૂને શનિ દેવ વક્રી થશે.
કુંભ રાશિમાં શનિ દેવ વક્રી થવાથી 4 જાતકોને જોરદાર ફાયદો થવાનો છે.
મેષ રાશિને વેપારમાં લાભ થશે અને મોટો નફો કમાઈ શકે છે. નોકરી કરનાર જાતકોની સમસ્યા દૂર થઈ શકે છે.
મેષ રાશિના જાતકો નોકરી શોધી રહ્યાં છે તેને આ સમયે નવી નોકરી મળી શકે છે.
શનિના વક્રી થવાથી વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે.
તુલા રાશિના જાતકોનો વેપાર વધશે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો, જેમાં સફળતા મળશે.
ધન રાશિના અટવાયેલા કામ થશે. નોકરી કરનાર જાતકોની સમસ્યા દૂર થશે. સ્વાસ્થ્ય પણ સારૂ થશે.