Battery News

Mobile ચાર્જ કરતી વખતે ક્યારેય ન કરો આવી ભૂલ, નહીં તો થઈ શકે છે મોત
નવી દિલ્લીઃ હાલના સમયમાં દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. દિવસભર મોબાઈલનો ઉપયોગ સતત થતો હોવાના કારણે તેની બેટરી પણ જલદી ખતમ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફરીથી મોબાઈલને ચાર્જ કરવો પડે છે. જોકે, અહીં વાત કરીશું મોબાઈલ ચાર્જ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો અંગે. સૌથી પહેલાં મોબાઈલ ચાર્જ કરતી વખતે ક્યારેય ચાલુ ચાર્જિંગ દરમિયાન ફોન પર વાત કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કારણકે, આ વસ્તુ તમારા જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. આવું કરવાથી અચાનક બેટરી બ્લાસ્ટ થાય તો માણસનો જીવ પણ જઈ શકે છે. એટલું જ નહીં આ ઉપરાંત કેટલી એવી બાબતો પણ છે જે ભૂલો આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. જો તમે પણ આવી ભૂલો કરતા હોવ તો હવેથી ચેતી જજો નહીં તો એક નાની ભૂલના કારણે તમારું મોટું નુકસાન થઈ શકે છે.
May 13,2021, 11:57 AM IST

Trending news