હિન્દુ ધર્મમાં સોપારીનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે. પૂજા પાઠ દરમિયાન સોપારીને લક્ષ્મી માતા અને ગણેશજીનું સ્વરૂપ ગણવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે સોપારીના ઉપાય અજમાવવાથી વ્યક્તિના બગડેલા કામ પણ સુધરવા લાગે છે.
મંદિરમાં જમણી બાજુની સૂંઢવાળા ગણપતિજીના ફોટાની લવિંગ અને સોપારીથી પૂજા કરો. તેનાથી અટવાયેલા કામ પૂરા થશે.
તમારી તિજોરીમાં પૂજાની સોપારી જરૂર રાખો. તેનાથી તિજોરીમાં લક્ષ્મીજી અને ગણેશજીનો વાસ હોય છે.
સોપારી પર લાલ દોરો લપેટીને તેની ચોખા, કંકુ અને ફૂલોથી પૂજા કરો. ત્યારબાદ સોપારીને તિજોરીમાં રાખો.
વિવાહમાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે સોપારીને રક્ષા સૂત્રમાં બાંધીને તેની પૂજા કરો અને પછી ભગવાન વિષ્ણુને ચડાવો.
કરિયર કે બિઝનેસમાં સફળતા મેળવવા માટે ઘરમાંથી નીકળતી વખતે તમારી પાસે સોપારી અને પાનનું પત્તું રાખો. ઘરે આવીને તેને ગણેશજીને સમર્પિત કરો.
ઘરમાં કોઈ પણ શુભ દિવસે દરવાજા પર કંકુથી સ્વસ્તિક બનાવો. તેના પર બાસમતી ચોખા અને સોપારી મૂકો. આમ કરવાથી ધનલાભ થશે.
ગુરુવારે ન્હાયા બાદ પીળા રંગના રૂમાલમાં નારિયેળ, ચોખા અને સોપારી રાખીને ગાંઠ બાંધો. ત્યારબાદ રોજ તેની પૂજા કરો. તેનાથી ધનલાભ થશે.
સોપારીને તમારા ઉપરથી 7 વાર ફેરવીને હવનકૂંડમાં નાખો. આમ કરવાથી તમારા ઉપરથી સારી બલાઓ દૂર થાય છે.