હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની નિયમિત પૂજા પણ કરવામાં આવે છે.
રોજ તુલસીની પૂજા કરવાથી ઘરમાં હંમેશા સકારાત્મકતા અને સુખ સમૃદ્ધિ રહે છે.
ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે તેમની પૂજામાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે.
જો ગુરૂવારના દિવસે તુલસીના છોડમાં દૂધ અર્પણ કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી પૂજા કરનાર વ્યક્તિ અમીર બને છે.
દર ગુરુવારે આ કામ કરનારના જીવનમાં ધનની ખામી સર્જાતિ નથી અને તેને અપાર ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
ગુરુવારે સવારે જ્યારે તુલસી પૂજા કરો ત્યારે તુલસીજીને ચઢાવવાના પાણીમાં થોડું કાચું દૂધ ઉમેરી દેવું.
શુક્રવારના દિવસે પણ તુલસીમાં દૂધ અર્પણ કરી શકાય છે તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.
તુલસીમાં દૂધ અર્પણ કરો ત્યારે, મહાપ્રસાદ જનની, સર્વ સૌભાગ્યવર્ધીની અધિક વ્યાધિ હર નિત્યં, તુલસી ત્વં નમોસ્તુતે મંત્ર બોલવો.