હિંદુ ધર્મ અનુસાર રોજ ઘરમાં દીવો કરવો જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.
જોકે દીવો કરતી વખતે ભૂલ કરવામાં આવે તો તે મુશ્કેલીનું કારણ પણ બની શકે છે.
દીવો કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય દીવો કરવો નહીં.
ધાર્મિક માન્યતા અનુસાર દક્ષિણ દિશાનો સંબંધ યમરાજ સાથે હોય છે.
દક્ષિણ દિશામાં દીવો કરવાથી ઘરમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓ વધે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં દીવો કરવાથી આર્થિક સમસ્યાઓ વધે છે અને સુખ શાંતિનો નાશ થઈ જાય છે.
આર્થિક સંકટ દૂર કરવા હોય તો ઘરની ઉત્તર દિશામાં દીવો કરવો જોઈએ.