જ્યોતિષ શાસ્ત્રમાં આર્થિક તંગીને દૂર કરવા માટે ચોખાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે.
ચોખાના કેટલાક ઉપાય અજમાવવાથી ધનલાભ થઈ શકે છે અને અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ પૂર્ણિમાના દિવસે ચોખાની ખીર બનાવીને ઈન્દ્ર દેવને ભોગ લગાવવાથી પણ ધનલાભ થઈ શકે છે.
એક લાલ કપડાંમાં ચોખાના 7 દાણા (અક્ષત દાણા) લપેટીને તેને પર્સમાં રાખવાથી અટવાયેલું ધન પાછું મળી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રવારના દિવસે જો 1 મહિલા બીજી મહિલાને દાનમાં ચોખા આપે તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારના દિવસે ચોખા અને કઢીનો ભંડારો કરવાથી પિતૃદોષ દૂર થાય છે.
શનિ દોષથી બચવા માટે ચોખામાં કાળા તલ ભેળવીને દાન કરો.
સૂર્ય દોષ દૂર કરવા માટે ચોખામાં થોડી હળદર ભેળવીને તેને સૂર્યદેવને અર્પણ કરો.
નિયમિત રીતે સવારે ઉઠીને એક મુઠ્ઠી ચોખા કોઈ સરોવર કે તળાવમાં પધરાવવાથી તમને ધનલાભ થઈ શકે છે.