હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્યમાં અને રોજની પૂજામાં દીવો કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર દીવો કરવાથી નેગેટિવિટી દૂર થાય છે અને સકારાત્મકતા આવે છે.
પરંતુ દીવો કરતી વખતે કેટલાક નિયમનું પાલન કરવું જરૂરી છે નહીં તો તેનું ફળ મળતું નથી.
એમાં હંમેશા રૂ ની વાટ અથવા તો નાડાછળીની વાટ કરવી જોઈએ.
દીવાને ક્યારે પશ્ચિમ દિશા તરફ કરવો નહીં તેનાથી આર્થિક અને સ્વાસ્થ્ય સમસ્યા વધે છે.
દીવો કરતી વખતે ધ્યાનમાં રાખો કે કોળિયું ક્યાંયથી તૂટેલું ન હોય.
જો પૂજામાં તમે ઘીનો દીવો કરો છો તો તેને હંમેશા ભગવાનની મૂર્તિની જમણી તરફ કરો.
જ્યારે તેલનો દીવો કરો તો ભગવાનની મૂર્તિની ડાબી તરફ કરવો શુભ ગણાય છે.