ઉનાળો શરૂ થતા જ સ્કીન સંબંધિત સમસ્યા પણ થવા લાગે છે. જેમાં ગરદન અને પીઠ પર અળાઈ થવાની સમસ્યા સૌથી વધુ સતાવે છે.
અળાઈના કારણે ખંજવાળ અને બળતરા સતત થયા કરે છે. આ સમસ્યા વધારે તો નાના બાળકોમાં જોવા મળે છે પરંતુ મોટાને પણ તે થઈ શકે છે.
જો તમને પણ ઉનાળામાં અળાઈ થઈ જતી હોય તો તેનાથી છુટકારો મેળવવાની ટિપ્સ આજે તમને જણાવીએ.
અળાઈ થઈ હોય તો તેના પર મુલતાની માટીનો લેપ લગાડવાથી બળતરા અને ખંજવાળ મટે છે.
અળાઈ પર એલોવેરા જેલ લગાડવાથી પણ ઠંડક મળે છે.
કડવા લીમડાને પાણીમાં ઉકાળી તે પાડી ઠંડુ કરીને તેનાથી નહાવાથી અળાઈમાં રાહત થાય છે.
ગરમીમાં સ્કીનને હેલ્ધી રાખવી હોય તો અઠવાડિયામાં બે થી ત્રણ વખત આઈસ ક્યુબથી સ્કીન પર મસાજ કરવી.