ગરમીની સીઝનમાં લોકો લીલા નાળિયેરના પાણીનું સેવન કરતા હોય છે.
નાળિયેરનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બીમારીઓ દૂર કરવામાં પણ આ પાણી મદદ કરે છે.
ચહેરા પર રોનક લાવવા કે પછી બીમારી દૂર કરવા માટે નાળિયેરનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે નાળિયેરની અંદર પાણી ક્યાંથી આવે છે? તો આજે અમે તમને તેનો જવાબ આપીશું.
વિજ્ઞાનની જાણકારી પ્રમાણે નાળિયેરમાં જે પાણી ભરેલું હોય છે, તે ઝાડનું એન્ડોસ્પર્મ હોય છે.
નાળિયેરનું ઝાડ પોતાના મૂળની મદદથી જમીનમાંથી પાણી ભેગું કરે છે અને નાળિયેર સુધી પહોંચાડે છે.
નાળિયેરના ઝાડની કોશિકાઓ આ પ્રક્રિયા પૂરી કરવામાં મદદ કરે છે. જ્યારે નાળિયેરમાં પાણી ભરાવા લાગે છે તો તેમાં ઝાડનું એન્ડોસ્પર્મ મિક્સ થાય છે.
નાળિયેરના પાણીમાં એન્ડોસ્પર્મ મિક્સ થતાં તે ઝાડું થઈ જાય છે. જ્યારે તે નાળિયેર પાકી જાય તો તેનું પાણી સુકાય જાય છે અને સફેદ કલરનો ખાવા લાયક પદાર્થ બની જાય છે.
આ રીતે નાળિયેરની અંદર પાણી ભરાય છે. જો તમને કોઈ પ્રશ્ન પૂછે તો તુરંત તેને જવાબ આપો.