Shanidev: શનિદેવ 2025 સુધી આ 3 રાશિવાળા પર વરસાવશે કૃપાદ્રષ્ટિ, જબરદસ્ત ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે

Saturn Transit: જ્યોતિષ મુજબ શનિદેવ બધા ગ્રહોમાં સૌથી ધીમે ગોચર કરે છે. એટલે કે શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરતા લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે શનિદેવે માર્ચ 2023માં પોતાની સ્વરાશિ કુંભમાં ગોચર કર્યું હતું અને તેઓ વર્ષ 2025 સુધી ત્યાં બિરાજમાન રહેશે.

Shanidev: શનિદેવ 2025 સુધી આ 3 રાશિવાળા પર વરસાવશે કૃપાદ્રષ્ટિ, જબરદસ્ત ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે

Saturn Transit: જ્યોતિષ મુજબ શનિદેવ બધા ગ્રહોમાં સૌથી ધીમે ગોચર કરે છે. એટલે કે શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરતા લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે શનિદેવે માર્ચ 2023માં પોતાની સ્વરાશિ કુંભમાં ગોચર કર્યું હતું અને તેઓ વર્ષ 2025 સુધી ત્યાં બિરાજમાન રહેશે. આવામાં શનિદેવ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે. તેનો અર્થ એ થયો કે આ રાશિઓ પર શનિદેવની ખાસ કૃપા રહેશે. જાણો કોણ છે તે લકી રાશિઓ....

કુંભ રાશિ
શનિદેવનું ગોચર આ રાશિવાળા માટે લકી સાબિત થશે. કારણ કે શનિદેવ એક તો તમારી રાશિમાં જ 2025 સુધી ભ્રમણ કરશે. આ સાથે જ શનિદેવે અહીં એક શશ નામનો રાજયોગ પણ બનાવ્યો છે. આથી આ સમય તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. આ સાથે જ સમાજમાં તમારું માન અને સન્માન, પ્રતિષ્ઠા વધશે. આ સમયગાળામાં તમારા મોટા મોટા લોકો સાથે સંબંધ બનશે. જીવનસાથીનો પણ પૂરેપૂરો સહયોગ મળશે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. પાર્ટનરશીપના કામકાજમાં સફળતા મળશે. શનિદેવ તમારી રાશિથી 12માં ભાવના સ્વામી પણ છે. આથી આ સમયગાળામાં તમે ધનની બચત પણ કરી શકશો. 

તુલા રાશિ
આ રાશિવાળા માટે પણ શનિદેવનું રાશિ પરિવર્તન શુભ રહેશે. કારણ કે શનિદેવ તમારી રાશિથી પંચમ ભાવ પર ભ્રમણ કરી રહ્યા છે અને તેઓ વર્ષ 2025 સુધી અહીં બિરાજમાન રહેશે. આથી આ સમય તમને સંતાનપક્ષથી શુભ સમાચાર મળી શકે છે. એટલે કે સંતાનની નોકરી લાગી શકે છે કે વિવાહ થઈ શકે છે. પ્રેમ સંબંધમાં સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધ વિવાહમાં ફેરવાઈ શકે છે. આ સાથે જ આ સમય તમને શેર બજાર, સટ્ટો અને લોટરીના આકસ્મિક ધનલાભ કરાવી શકે છે. શનિદેવ તમારી રાશિથી ચતુર્થ ભાવના સ્વામિ છે. આથી આ સમય દરમિયાન તમને વાહન કે પ્રોપર્ટી મળી શકે છે. પૈતૃક સંપત્તિનો લાભ મળશે. 

મિથુન રાશિ
તમારા માટે શનિદેવનું ગોચર કોઈ વરદાનથી કમ નહીં રહે. કારણ કે શનિદેવ તમારી રાશિના નવમ ભાવ પર ભ્રમણ કરી રહ્યા છે. આથી આ સમય તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે જ નોકરીયાતોને જોબમાં સારો અનુભવ થશે અને કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે માહોલ ખુબ અનુકૂળ રહેશે. તમારી પદોન્નતિ પણ  થઈ શકે છે. આ સાથે જ તમે દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે આ સમય શાનદાર રહેશે. તેઓ કોઈ પરીક્ષામાં પાસ થઈ શકે છે. આ સાથે જ આ સમય ધર્મ કર્મના કામ સાથે જોડાયેલા રહી શકો છો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news