Photos: દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે ગુજરાતનું આ મંદિર, ભગવાનની મરજી હોય તો જ થાય છે દર્શન

ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લગભગ 175 કિમી દૂર જંબુસરના કાવી કંબોઇ ગામમાં આવું જ એક મંદિર છે. આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા હોય તો નસીબ જોઈએ. અહીં ભગવાન એમની મરજીથી ભક્તોને દર્શન આપે છે.

1/9
image

ગુજરાતમાં તમે ફરવા માગો છો તો આ મંદિરને ને નહીં જુઓ તો તમારો ફેરો અધૂરો રહેશે. તમે તમારી ખુલ્લી આંખે અજાયબીઓ જોવા માંગતા હોવ તો ગુજરાતના સ્તંભેશ્વર મંદિરની અવશ્ય મુલાકાત લો. કારણ કે ભગવાન શિવ આ મંદિરમાં દિવસમાં માત્ર બે વાર દર્શન આપે છે એ પણ પોતાની મરજીથી. આ પછી આખું મંદિર પાણીમાં ડૂબી જાય છે અને દિવસમાં 2 વાર જ બહાર આવે છે. 

2/9
image

મંદિરો હવે માત્ર પૂજા અને ઉપાસનાના સ્થાનો નથી રહ્યા, પરંતુ આ મંદિરોએ તેમનું અસ્તિત્વ આજ સુધી જીવંત રાખ્યું છે. રામ મંદિરના નિર્માણ બાદ ભારતીયોની મંદિરો પ્રત્યે આસ્થા પણ વધી છે. ભારતમાં 10 લાખથી વધુ મંદિરો છે. ભારતના લોકોને પૂજામાં વધુ શ્રદ્ધા ધરાવે છે એમ કહેવું બિલકુલ ખોટું નહીં હોય. આ પણ એક કારણ છે કે ભારતીય સમાજમાં મંદિરોની ભૂમિકા શરીરમાં શ્વાસ જેવી રહી છે. અહીંના દરેક મંદિરની પોતાની આગવી મહિમા છે, જેના કારણે લોકો વર્ષોથી આ મંદિરોમાં આસ્થા રાખે છે.  

3/9
image

ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લગભગ 175 કિમી દૂર જંબુસરના કાવી કંબોઇ ગામમાં આવું જ એક મંદિર છે. આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા હોય તો નસીબ જોઈએ. અહીં ભગવાન એમની મરજીથી ભક્તોને દર્શન આપે છે. આ મંદિર બીજું કોઈ નહીં પણ ભગવાન શિવનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર છે, જે 150 વર્ષ જૂનું કહેવાય છે. આ મંદિર અરબી સમુદ્ર અને ખંભાતના અખાતથી ઘેરાયેલું છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. 

મંદિરનો જબરદસ્ત છે ઈતિહાસ

4/9
image

આ મંદિર સાથે ભૂતકાળ જોડાયેલો છે. શિવપુરાણ અનુસાર તારકાસુર નામના રાક્ષસે ભોલેનાથને પ્રસન્ન કરવા ઘણી તપસ્યા કરી હતી. આવી સ્થિતિમાં ભગવાન તારકાસુરની તપસ્યાથી પ્રસન્ન થયા અને બદલામાં ઇચ્છિત વરદાન માંગવા માટે કહ્યું હતું. તારકાસુરે ભગવાન પાસે વરદાન માંગ્યું કે શિવના પુત્ર સિવાય અન્ય કોઈ તેને મારી ન શકે, પરંતુ આ સમયગાળા દરમિયાન તેમના પુત્રની ઉંમર 6 દિવસથી વધુ ન હોવી જોઈએ.મહાદેવે તારકાસુરને આ વરદાન આપ્યું હતું. વરદાન મળતાં જ આ રાક્ષસ લોકોને પરેશાન કરવા લાગ્યો. આવી સ્થિતિમાં, દેવતાઓએ ભગવાન શિવને તેમને મારવા માટે પ્રાર્થના કરી હતી. જેથી સફેદ પર્વત તળાવમાંથી 6 દિવસના કાર્તિકેયનો જન્મ થયો અને રાક્ષસનો વધ કરાયો હતો. જો કે, જ્યારે મહાદેવને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા હતા.

આ રીતે મંદિરની સ્થાપના થઈ હતી

5/9
image

જ્યારે કાર્તિકેયને તેની ભૂલનો અહેસાસ થયો ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પ્રાયશ્ચિત કરવાનો મોકો આપ્યો. ભગવાન વિષ્ણુએ તેમને તે સ્થાન પર શિવલિંગની સ્થાપના કરવાનું સૂચન કર્યું જ્યાં તેમણે રાક્ષસનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુની સૂચના પર, કાર્તિકેયે આ સૂચનાનું પાલન કર્યું હતું. જેના પછી આ મંદિર સ્તંભેશ્વર મંદિર તરીકે ઓળખાવા લાગ્યું.

વાસ્તવમાં આ મંદિર સમુદ્રની વચ્ચે આવેલું

6/9
image

બહુ ઓછા લોકો જાણતા હશે કે આ મંદિર સવાર-સાંજ બે વાર સમુદ્રમાં સમાઈ જાય છે  જો કે તેની પાછળનું કારણ સંપૂર્ણપણે સ્વાભાવિક છે. પરંતુ આ પછી પણ લોકો તેને કોઈ ચમત્કારથી ઓછું નથી માનતા. વાસ્તવમાં આ મંદિર સમુદ્રની વચ્ચે આવેલું છે. આવી સ્થિતિમાં, જ્યારે દિવસ દરમિયાન સમુદ્રની સપાટી વધે છે, ત્યારે મંદિર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે. પરંતુ જ્યારે પાણીનું સ્તર નીચે જાય છે, ત્યારે મંદિર ફરી દેખાય છે. લોકો માને છે કે ભગવાન શિવનો જલાભિષેક સમુદ્રના પાણીથી કરવામાં આવે છે. આ જોવા માટે લોકો સવારથી રાત સુધી અહીં રહે છે.

આ કારણે લોકોની જામે છે ભીડ

7/9
image

સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રી અને અમાવસ્યાના દિવસે વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. પ્રદોષ-ગ્યારસ અને પૂનમ જેવા દિવસોમાં અહીં આખી રાત પૂજા કરવામાં આવે છે. આજુબાજુના ગામો ઉપરાંત દૂર-દૂરથી ભક્તો ભગવાન શિવના દર્શન કરવા આવે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ ભોલેનાથના આ મંદિરની માન્યતા છે. કહેવાય છે કે તેના દર્શન કરવાથી જ ભક્તોની બધી તકલીફો દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ મંદિરનો ઉલ્લેખ શિવ મહાપુરાણના અધ્યાય 11 અને રુદ્ર સંહિતા ભાગ 2ના પેજ નંબર 358માં જોવા મળે છે. આમ આ પૌરાણિક મંદિર છે. તેનો મહિમા દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે.

મંદિર સુધી પહોંચવાના આ છે રસ્તાઓ

8/9
image

આ મંદિર ગુજરાતના વડોદરા શહેરથી કુલ 85 કિમીના અંતરે આવેલું છે. તમે ઈચ્છો તો બસ, ટ્રેન કે ફ્લાઈટ દ્વારા વડોદરા જઈ શકો છો. અહીંથી મંદિર સુધી પહોંચવા માટે તમને ઘણા વિકલ્પો મળી રહે છે. તમે ઈચ્છો તો પોરબંદર-દ્વારકા અને દિવ જેવા શહેરો સુધી ટ્રેન દ્વારા જઈ શકો છો. મંદિર પાસે પાર્કિંગની સુવિધા છે. તેથી, જો તમે ઇચ્છો, તો તમે તમારા અંગત વાહન દ્વારા પણ અહીં પહોંચી શકો છો.

9/9
image