Good Luck Charm: જે ઘરમાં હોય આ 5 વસ્તુઓ ત્યાં ગરીબી અને દુ:ખ નથી આવતા

Good Luck Charm: વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈમાં એવી કેટલીક શુભ વસ્તુઓ વિશે જણાવાયું છે જેને ઘરમાં રાખવાથી સૌભાગ્ય વધે છે. આ વસ્તુઓ જે ઘરમાં હોય છે ત્યાં દુ:ખ અને ગરીબી ટકતા નથી. આવા ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા રહે છે.

સ્વસ્તિક

1/6
image

ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા કંકુથી સ્વસ્તિક કરવું જોઈએ. આ સિવાય શુભ દિવસ હોય ત્યારે ચાંદીનું સ્વસ્તિક પ્રવેશ દ્વાર પર ઉંબર પર વચ્ચે લગાવો.

ધાતુનો કાચબો

2/6
image

વાસ્તુ અને ફેંગશુઈમાં ધાતુના કાચબાને શુભ માનવામાં આવે છે. પીત્તળ કે સોના ચાંદીથી બનેલા કાચબાને ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ. 

શ્રીયંત્ર

3/6
image

શ્રીયંત્ર લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ છે. તેને સ્થાપિત કરી નિયમિત તેની પૂજા કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.

ગોમતી ચક્ર

4/6
image

શુક્રવારના દિવસે ઘરમાં શુભ મુહૂર્તમાં 11 ગોમતી ચક્ર લાવો અને લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરો. ત્યારબાદ પૂજા કરવી અને પૂજા કર્યા પછી આ ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખી દો.

શંખ

5/6
image

શુક્રવારના દિવસે વિધિ-વિધાનથી પૂજા કરી અને ઘરમાં દક્ષિણાવર્તી શંખ પધરાવો. ત્યારબાદ રોજ તેની પૂજા કરો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

6/6
image