Gujrat Election 2022: રણનીતિના ભાગરૂપે ભરતસિંહે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી! કઇ બેઠક પરથી મળશે ટિકિટ?

Gujarat Assembly Elections 2022: ભરતસિંહ સોલંકીએ આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જનતા જનાર્દન પોતાનું મન બનાવી રહી છે. પરંતુ આ વખતે પ્રજા બધી જ વસ્તુઓ ખુબ સારી રીતે જાણે છે.

Gujrat Election 2022: રણનીતિના ભાગરૂપે ભરતસિંહે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી! કઇ બેઠક પરથી મળશે ટિકિટ?

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. કોંગ્રેસે પહેલી યાદી જાહેર કર્યા બાદ અમુક જગ્યાએ ભડકો પણ જોવા મળ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસની દિગ્જ્જોને મેદાને ઉતારવાની રણનીતિના ભાગરૂપે પેટલાદ વિધાનસભા બેઠક પરથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડી શકે છે. 

ભરતસિંહ સોલંકીએ આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જનતા જનાર્દન પોતાનું મન બનાવી રહી છે. પરંતુ આ વખતે પ્રજા બધી જ વસ્તુઓ ખુબ સારી રીતે જાણે છે. રાજકીય પક્ષ તરીકેની અમારી ભૂમિકા સાચી વાત રજુ કરવાની છે. માટે જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે તહોમતનામું મૂકી રહી છે. જનતાના સહકારથી અમે એક મહિના પછી સરકાર બનાવીશું, ત્યારે પ્રજાને યોગ્ય સાબિત થવા માટે અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ.

ભરતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની લોકોને મુખ્ય મુદ્દાથી અન્ય દિશામાં લઇ જવાની બધા જ હથકંડા અજમાવવાની છે, એટલે અમે મૂળ વાસ્તવિકતાને સામે લાવી રહ્યા છીએ. ભુપેન્દ્ર ભાઈ પટેલના એન્જીનને ધક્કો મારવા માટે કદાચ સી આર પાટીલ છે. ગુજરાતની સ્થાપના બાદ ગુજરાતે ઝડપથી પ્રગતિ કરી છે. કોંગ્રેસના મુખ્યમંત્રીના સમયમાં 18-30 ટકા GDP હતી. માથાદીઠ આવકમાં ગુજરાત પ્રથમ નંબરે આવતું હતું. એ જમાનાની કોંગ્રેસની સરકારોએ જાપાન સાથે ઈન્ડસ્ટ્રીયલ ઝોન શરૂ કરવાની શરૂઆત કરી હતી.

ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ઘણી ઘટનાઓમાં જનતાનો પક્ષ મુકવામાં નિષ્ફ્ળ ગઈ છે. નોટબંધી થઇ ત્યારે ઘણી જાહેરાતો કરવામાં આવી પણ આજે બતાવે તો ખરા કે શું થયું? સેટેલાઇટથી પણ નોટ પકડી પાડશે આ કેવી જાહેરાતો કરી. હેપ્પીનેસ ઇન્ડેક્સમાં મને લાગે છે કે ગુજરાતની જનતાને સૌથી નીચે લઇ ગઈ છે. બે રીતેનું દુઃખ જનતાને મળે છે, કુદરતી અને માનવસર્જિત. પાણી, વરસાદ સારો થયો આમ કુદરતી સંપત્તિ તો મળી, પણ વીજળી આપવામાં, સિંચાઇનું પાણી આપવામાં ભાજપ નિષ્ફ્ળ ગઈ છે. સરકારી હોસ્પિટલો, સરકારી શાળાઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.

આલોક શર્માનો ભાજપ ઉપર આકરો પ્રહાર 
આલોક શર્માએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોરબીનો બ્રિજ પોતાનામાં ભ્રષ્ટાચારનો સબૂત છે. કોરોનામાં સફળતા જેનો પીએમ મોદીએ ડંકો પીટ્યો ત્યાં કેટલાયે લોકો મોતને ભેંટ્યા છે. સુરતની એ ઘટના યાદ રાખો કે કઈ રીતે ભઠ્ઠી ગરમ થઈને પીગળી ગઈ. આજે પણ 1. 5 લાખ લોકો ગરીબી રેખાની નીચે કેમ છે. ગુજરાતમાં 32 ટકા લોકો ગરીબી રેખાની નીચે છે. આજે ગુજરાત ઉપર 4 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

તેમણે ઉમેર્યું હતું કે, યુવાનો સમાચાર પત્રોમાં પેપર લીકના સમાચાર વાંચીને વોટિંગ કરવા જાય. રાજસ્થાનની સરખામણીએ લઘુત્તમ વેતન ગુજરાતમાં 100 રૂપિયા ઓછું છે. એક એન્જીન ડબ્બો બની વિજય રૂપાણીના ઘરે પહોંચી ગયા અને બીજો ડબ્બો પીએમ મોદીની ગાડીની પાછળ પાછળ દોડે છે. ચાઈલ્ડ રેપમાં અમદાવાદ છઠ્ઠા નંબરે છે. આ પાછળ ભાજપ દોષિત છે. એક રિટાયર્ડ સિનિયર અધિકારી ગુજરાત ચલાવે છે અને સાંજે દિલ્હી તેના આકાઓને રિપોર્ટ મોકલાવે છે. 4 લાખ લોકો કોરોનામાં મરી ગયા, રેમડેસેવીર ઇન્જેક્શન ન મળતા લોકો મરી ગયા અને ભાજપ ગૌરવ યાત્રા કરી રહી છે.

મહત્વનું છે કે, કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર છે, એટલે કોંગ્રેસ આ વખતે ગમે તેમ કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં એવી રણનીતિ બનાવી હતી કે તેઓ પાર્ટીના જૂના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા ભરતસિંહ ચૂંટણી ચૂંટણી લડે એવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.
 
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પેટલાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. પરંતુ હાલ આણંદ જિલ્લાની પેટલાદ બેઠક પર નિરંજન પટેલ સીટિંગ ધારાસભ્ય છે. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના બે પૂર્વ કેન્દ્રીય મંત્રી મિશન 2022ના ચૂંટણી જંગમાં ઉતરશે. ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી  વિધાનસભાની ચૂંટણી લડશે. પેટલાદથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડશે, તો ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે. બંને નેતાઓને કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ચૂંટણી લડવા આદેશ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news