શું માણસની જેમ ખેતીના પાકને પણ લૂ લાગે? જાણો હીટ વેવથી પાકને બચાવવા ખેડૂતોએ શું કરવું

Farmers of Gujarat: ગુજરાતમાં આ વર્ષે ઉનાળુ પાકનું 103% બમ્પર વાવેતર થયું છે. જોકે, આ વાવેતર ફળે અને સારી રીતે તે ઉત્પાદનમાં પરિવર્તિત થાય તેના માટે પણ મથામણ કરવાની જરૂર પડે છે. ખાસ કરીને હીટ વેવ એટલેકે, લૂ થી નુકસાન ટાળવા શું કરવું દરેક ખેડૂતે એ વાત જાણવી પણ જરૂરી છે.

શું માણસની જેમ ખેતીના પાકને પણ લૂ લાગે? જાણો હીટ વેવથી પાકને બચાવવા ખેડૂતોએ શું કરવું

Agriculture News: અમારા એગ્રીકલ્ચરના સેગમેન્ટમાં આના પહેલાંના આર્ટિકલમાં આપણે વાત કરી હતી ખેડૂતોની...ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેતરમાં મજૂરી કરતા ખેડૂતોને હીટવેવ એટલેકે, લૂ ના લાગે અને તેમની તબીયત ના બગડે તેના માટે તેમણે શું કરવું જોઈએ એ અંગે અગાઉના આર્ટિકલમાં વાત કરવામાં આવી હતી. અહીં વાત કરવામાં આવી છે પાકને હીટવેવથી બચાવવાની. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે શું માણસની જેમ ખેતીના પાકને પણ લૂ વાગે ખરાં? તો તેનો જવાબ છે હાં. આ અમે નથી કહી રહ્યાં પણ આ નિષ્ણાતોનું અવલોકન છે. તેના કારણે જ પાકને હીટવેવ થી બચાવવા માટે શું કરવું તેના ઉપાયો અહીં સુચવવામાં આવ્યાં છે. 

ચાલુ વર્ષે ઉનાળુ પાકનું રેકોર્ડ બ્રેક વાવેતરઃ
ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં ચોમાસુ સારું જરો તેવી આશાએ ખેડૂતોએ ઉનાળુ પાકમાં 103 ટકાનું બમ્પર વાવેતર કર્યું છે ત્યારે કાળઝાળ ઉનાળામાં હીટ વેવના કારણે ખેડૂતોને ઉભા પાકને મુશ્કેલી સર્જાઈ શકે છે તે જોતા પાકની યોગ્ય જાળવણી કરવા સરકારે સલાહ આપી છે. 

રાજ્યમાં 11.48 લાખ હેક્ટરમાં વાવેતરઃ
ગુજરાતમાં ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરમાં રેકોર્ડ બ્રેક કરતા છેલ્લા ત્રણ વર્ષની સામાન્ય સરેરાશ કરતા પણ ચાલુ વર્ષે વધુ વાવેતર કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષનું રાજ્યનું સરેરાશ વાવેતર 11.10 લાખ હેક્ટર વિસ્તારમાં નોંધાયું છે ત્યારે 22 એપ્રિલ સુધી રાજ્યમાં 11.48 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરી દેવાયું છે. જે 103.39 ટકા જેટલું છે. જોકે, ગત વર્ષે આ સમયગાળામાં 11.54 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું 1ઘુ હતું. તેના કરતા હજુ 6 લાખ હેક્ટર જેટલું
ઓછું છે. તેમ છતાં ડાંગરનું 127 ટકા, બાજરીનું 108 ટકા, મકાઈનું 112 ટકા, અડદનું 101 ટકા, મગફળીનું 103 ટકા, તલનું 105 ટકા, ડુંગળીનું 109 ટકા અને શેરડીનું 106 ટકા જેટલું વાવેતર થયું છે. જો ચોમાસું આગાહી મુજબ સામાન્ય રહ્યું અને હવામાનને લગતા કોઈ અણધાર્યા ફેરફાર નહીં થાય તો ખેડૂતો સાથે સમગ્ર રાજ્યને ફાયદો થઇ શકે છે. 

પાકને હીટવેવ (લૂ)થી બચાવવા એડવાઈઝરી જાહેરઃ
ગરમીમાં પાકની યોગ્ય જાળવણી અને કાળજી લેવા ગુજરાત સરકાર દ્વારા ખેતી નિયામકની એડવાઈઝરી જાહેર કરાઈ છે. ખેડૂતોને પાક માટે કાળજી લેવા આવાઇઝરી જાહેર કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પક્વતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય કાળજી લેવા તાકીદ કરી છે. તે મુજબ હીટ વેવ દરમિયાન ખેતરમાં ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવા, મગફળી, મગ, અડદ, બાજરી, જુવાર, તલ વગેરે પાકમાં વહેલી સવારે અને સાંજના સમયે પિયત કરવા જણાવ્યું છે. તે ઉપરાંત ખેતરની જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવાં અને પાકને ઊંચા તાપમાનથી બચાવવા બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવા પણ જણાવ્યું છે. ખાસ કરીને શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર-બાજરી જેવા પાકોની કડબની આડશ કરવાની સલાહ આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news