હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર વિશેષ મહત્વ ધરાવે છે. વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.
જો વાસ્તુના આ નિયમોનું પાલન ઘરમાં ન થાય તો વાસ્તુ દોષના કારણે ધન હાનિ પણ થાય છે.
આજે તમને ઘરની એ વસ્તુઓ વિશે જણાવીએ જેને ક્યારેય ખાલી રાખવી નહીં.
ઘરની તિજોરીને ક્યારેય ખાલી ન રાખો. તેને અશુભ માનવામાં આવે છે. તેમાં કોડી, હળદરની ગાંઠ રાખી શકો છો.
બાથરુમમાં ક્યારેય પાણીની ડોલને ખાલી ન રાખો. ખાલી રાખવી હોય તો તેને ઊંધી રાખો.
પર્સને ક્યારેય ખાલી રાખવું નહીં. કોઈપણ પર્સને ખાલી કરો તો તેમાં 1 રુપિયો તો રાખવો જ.
ઘરના મંદિરમાં ક્યારેય ખાલી કળશ ન રાખો. તેનાથી ધન હાનિ થાય છે.
અનાજ ભરવાના ભંડારને પણ ખાલી રાખવા નહીં. તેનાથી માં અન્નપૂર્ણા નારાજ થાય છે.