હિંદુ ધર્મમાં પૂજા-પાઠ કરવાનું વિશેષ મહત્વ છે. પૂજા કરતી વખતે દીવો પણ કરવામાં આવે છે.
ઘરમાં સવારે અને સાંજે દીવો કરવાથી સકારાત્મક ઊર્જા આવે છે.
રોજ ઘરના મંદિરમાં દીવો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.
આજે તમને ઘરમાં દીવો કરવાનો સાચો સમય જણાવીએ.
સવારના સમયે દીવો 5થી 10 કલાક સુધીમાં કરવો શુભ ગણાય છે.
સાંજના સમય 6 થી 7 કલાક સુધીમાં કરવો જોઈએ. આ સમયે દીવો કરવો શુભ ગણાય છે.
રાત્રે ક્યારેય દીવો કરવો નહીં. આ સમયે દીવો કરવાથી ભગવાનના આરામમાં તકલીફ પડે છે.
ક્યારેય ખંડિત દીવો પ્રગટાવવો જોઈએ નહીં. આ સિવાય દીવાની વાટ પશ્ચિમ કે દક્ષિણ દિશા તરફ ન રાખવી.