'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં આમ તો દરેક પાત્ર લોકોના મનમાં વસેલું છે. પરંતુ જેઠાલાલે તો એક અલગ જ મુકામ મેળવ્યો છે.
શોમાં જેઠાલાલની ભૂમિકા દિલિપ જોશીએ એટલી સહજતાથી નિભાવી છે કે તેમના સિવાય બીજા કોઈને આ પાત્રમાં દર્શકો કલ્પના ન કરી શકે.
જો કે બહુ ઓછા લોકોને ખબર હશે કે દિલિપ જોશી પહેલા જેઠાલાલની ભૂમિકા અનેક કલાકારોને ઓફર કરાઈ હતી.
આજે અમે તમને એ કલાકારો વિશે જણાવીશું જેમણે જેઠાલાલ બનવાની ના પાડી દીધી હતી.
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને જેઠાલાલના પાત્ર માટે અપ્રોચ કરાયો હતો. પરંતુ ત્યારે તેઓ ફક્ત મોટા પડદા પર ફોકસ કરી રહ્યા હતા અને અનેક પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં હતા.
જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન અહેસાન કુરેશીને પણ તક અપાઈ હતી પરંતુ તેમણે જેઠાલાલ બનવાની ના પાડી દીધી હતી.
દરોગા હપ્પુ સિંહની ભૂમિકાથી જાણીતા થયેલા યોગેશને પણ જેઠાલાલ બનવાની ઓફર મૂકાઈ હતી પરંતુ તેમણે ના પાડી દીધી.
કપિલ શર્મા શોમાં અલગ અલગ અંદાજમાં જોવા મળનારા કીકુ શારદાને પણ જેઠાલાલ માટે અપ્રોચ કરાયા હતા.
રિપોર્ટ્સ મુજબ મેકર્સે જાણીતા કોમેડિયન અને અભિનેતા અલી અસગરને પણ જેઠાલાલનો રોલ ઓફર કર્યો હતો. પરંતુ ત્યારે તેઓ બીજા પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાં બીઝી હતા.